તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લાંબા અરસા બાદ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લક્ઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપનું આગમન માસાંતે થશે. ભારતનું સૌથી મોટું અને લકઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની હરાજી મુંબઇ હાઇકોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે લંડનની એનકેડી મેરીટાઇમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી અને કેશબાયર દ્વારા કોર્ટ સમક્ષ 11.65 લાખ ડોલરની રકમની ચુકવણી કરવામાં આવી હતી. કેશ બાયરે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારતના શિપબ્રેકરોને જહાજ વેચવાની વાટાઘાટો કરી હતી. એમાંથી અલંગના પ્લોટ નં.વી-7 દ્વારા આ શિપ ખરીદ્યું છે.
કોરોના ફેલાતાની સાથે જ કર્ણિકા જહાજ 12મી માર્ચ 2020થી મુંબઇ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યું છે અને હાલ 60 ક્રૂ-મેમ્બરો તેની દેખભાળ કરી રહ્યા છે. આ જહાજ મુંબઇ-દુબઇ વચ્ચે ચલાવવામાં આવી રહ્યું હતુ. કર્ણિકા જહાજમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, અને તે ક્રૂઝ સેવામાં ખાસ્સું લોકપ્રિય છે. અલંગના પ્લોટ નં.વી-7 આર.કે.ઇન્ડસ્ટ્રીઝ એલએલપી દ્વારા પેસેન્જર શિપ ખરીદવામાં આવ્યું છે.
નવેમ્બરના અંત સુધીમાં આ જહાજ અલંગ આવી પહોંચે તેવી શક્યતાઓ છે. તરતી જન્નતના હુલામણા નામથી જાણીતા કર્ણિકા લક્ઝુરિયસ ક્રૂઝ શિપની માલીકી જાલેશ ક્રૂઝિસ કંપની દ્વારા ધરાવવામાં આવે છે, પરંતુ તેઓ નાદાર સાબિત થતા જહાજને વેચવાનો વારો આવ્યો હતો.
ડાન્સ ફ્લોર, નાઇટ કલબ આકર્ષણનું કેન્દ્ર
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.