તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત રાજ્યમાં રાઇટ ટૂ એજ્યુકેશનનો નિયમ લાગુ કરવામાં આવ્યા બાદ દર વર્ષે પ્રવેશ માટેની કાર્યવાહી મોડી થતા દર વર્ષે 50થી 60 ટકા લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે તેઓ પણ મોડા પ્રવેશને લીધે વર્ગ શિક્ષણના બે-ત્રણ માસ ગુમાવે છે. આ વર્ષે ભાવનગર શહેરમાં આરટીઇ માટે પ્રવેશની જે અરજી આવી હતી તેમાં ચકાસણી કરાયા બાદ શિક્ષણ તંત્ર દ્વારા બરાબર ચકાસણી કરીને કુલ 3135 વિદ્યાર્થીઓને એડમિશન માટે લાયક ગણવામાં આવ્યાં હતા. પરંતુ જ્યારે પ્રવેશ માટે ખરેખર કાર્યવાહી થઇ તેમાં બે રાઉન્ડમાં માત્ર 1255 લાયક છાત્રોને જ ખાનગી શાળામાં ધો.1માં પ્રવેશ મળતા બાકીના 1,880 લાયક વિદ્યાર્થીઓ ખાનગી શાળા પૂરતી લાયકાત હોવા છતાં તેમજ પસંદગી પામ્યા હોવા છતાં એડમિશનથી વંચિત રહી ગયા છે.
આ ઉપરાંત દર વર્ષે છેક ફેબ્રુઆરી કે માર્ચ બાદ એડમિશન માટેની જાહેરાત આપીને કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. આથી જૂનમાં અન્ય સામાન્ય બાળકો માટે ખાનગી શાળાઓમાં શિક્ષણ શરૂ થઇ જાય છે પણ આરટીઇવાળાને છેક બે-ત્રણ માસ મોડું શિક્ષણ શરૂ થાય છે. તેઓ વર્ગશિક્ષણના આ અમૂલ્ય દિવસો ગુમાવે છે. આમ રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો ખરેખર જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે બનાવ્યો છે તે સાચો જ છે પરંતુ તેના અમલીકરણની પદ્ધતિ ખોટી છે.
ગુજરાતમાં 63,610 બાળકોને પ્રવેશથી વંચિત રાખવા આ બાબતે કેસ કરેલો
થોડા સમય પહેલા આરટીઇ જોગવાઈના ઉલ્લંઘન મુદ્દે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. આ કેસમાં ગરીબ પરિવારના બાળકોને પ્રવેશથી વંચિત રાખવા માટે રાજ્ય સરકારની વેબસાઇટમાં પહેલા ધોરણના વર્ગખંડોની ક્ષમતા દર્શાવતા આંકડામાં ચેડાં કરાયેલાં છે. પહેલા ધોરણમાં ગરીબ પરિવારના 63,610 બાળકોને પ્રવેશ આપવાની માગણી કરતી અરજીના મુદ્દે રાજ્ય સરકારનો જવાબ માગ્યો હતો. સરકારે ખાનગી શાળાઓમાં વર્ગખંડોની સાચી ક્ષમતા છુપાવી હતી. અરજદારે રાજ્ય સરકારના કમ્પ્યુટરો અને સર્વરની ફોરેન્સિક વિભાગ દ્વારા ચકાસણી કરાવવાની પણ માગણી કરી હતી. - સંદીપ મુંજીયાસરા, અરજીકર્તા, સુપ્રીમ કોર્ટ
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.