તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લામાં આજરોજ 43 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,971 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 26 પુરૂષ અને 7 સ્ત્રી મળી કુલ 33 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.
જ્યારે તાલુકાઓમાં સિહોર તાલુકાનાં પાલડી ગામ ખાતે 1, વલ્લભીપુર તાલુકાનાં કંથારીયા ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાનાં લંગાળા ગામ ખાતે 1, સિહોર તાલુકાનાં ગઢુલા ગામ ખાતે 1, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે 2, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે 1, સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે 1 તેમજ વલ્લભીપુર તાલુકાનાં પચ્છેગામ ગામ ખાતે 1 કેસ મળી કુલ 10 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલા છે. જ્યારે આજરોજ મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલુ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 21 અને તાલુકાઓમાં 4 કેસ મળી કુલ 25 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 6,971 કેસ પૈકી હાલ 394 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 71 દર્દીઓનું અવસાન થયેલ છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.