પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા સ્વ.રાજીવ ગાંધીની તસ્વીરને પુષ્પાંજલી કરી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના શાકમાર્કેટ પાસે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ.રાજીવ ગાંધીની તસ્વીરને પુષ્પાજંલી અર્પણ કરી શ્રધ્ધાજંલી પાઠવી હતી. તેમજ ઠંડી છાશનું વિતરણ પણ કરાયું હતું.
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી દ્વારા જણાવ્યું હતું કે, સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર શહેર અને જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાજંલી અને છાશ વિતરણનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. રાજીવ ગાંધીજીને એટલા માટે યાદ કરવા પડે કે આજે જે ટેકનોલોજી છે, મોબાઈલ, કોમ્પ્યુટર અને મારુતિ હોય આ બધી એની જ દેન છે. રાજીવ ગાંધીના જે સપના હતા તે પૂર્ણ થાય અને તેના સિદ્ધાંતો હતા તે અમારા જીવનમાં ઉતારે તેવી પ્રાર્થના કરીએ છીએ.
આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવનગર શહેર અને જિલ્લાના તમામ આગેવાન, પૂર્વ કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કોંગ્રેસ, તેમજ વિવિધ સેલના આગેવાનો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.