તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પર લગાવવામાં આવેલા નિકાસ પરના પ્રતિબંધને હટાવી લીધો છે. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટવાથી ભાવનગરના ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છે.ખેડૂતો પણ ડુંગળી ભાવનગર માર્કેટિંગ યાર્ડ લઇને પહોંચી રહ્યાં છે. વેપારીઓ પણ આશા રાખી રહ્યાં છેકે, ડુંગળીની નિકાસ માટે છૂટ મળવાથી સારો એવો ભાવ મળશે અને ખેડૂતોને પણ ફાયદો થશે.
10 હજાર ગુણીની આવક થઇ
કિસાન મોરચાના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ દૂર કરતા ખેડૂતોના ચહેરા પર હર્ષની લાગણી છવાઈ છે. હાલ ભાવનગર માર્કેટિંગયાર્ડમાં લાલ ડુંગળીની 10 હજાર ગુણીની આવક થઇ છે. જેમાં ખેડૂતોને પ્રતિ મણે 40થી 50 રૂપિયા સુધીનો સીધો જ ફાયદો થયો છે. આવનારા સમયમાં ડુંગળીના ભાવમાં ખેડૂતોને ઓપન બજારમાં વધુ સારા ભાવ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.
દિવાળી પહેલા છૂટ આપી હોત તો વધારે આવક થાત
ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છેકે, હાલમાં ડુંગળીનું ખૂબજ ઉત્પાદન થયું હોય નિકાસ બંધીના કારણે માલનો ભરાવો થયો છે, જેના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને નુકસાન ન જાય એ માટે તાત્કાલિક અસરથી નિકાસ બંધી હટાવવી લેવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સરકારે હવે નિકાસબંધી હટાવી લેવા આવી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની સારી એવી આવક પણ થઇ છે અને સારા ભાવ પણ ખેડૂતોને મળ્યા છે. તેમ છતાં જો આ દિવાળી પહેલા નિકાસની છૂટ આપી હોત તો હજી વધારે ફાયદો થાય તેમ હતો.
નીચા ભાવે ડુંગળી ખરીદી સ્ટોક કરી રહ્યાં છે
ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળિયા અને ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારોએ કેન્દ્રીય કૃષિ મંત્રીને સંયુક્ત રીતે પત્ર લખીને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ડુંગળીના ભાવમાં વધારો થઇ રહ્યો હતો. ત્યારે ભાવને કંટ્રોલ કરવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે હવે સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે અને ભાવ પણ નિયંત્રણમાં આવી ગયા છે. તેવામાં ડુંગળી પરની નિકાસબંધી હટાવી લેવા રજૂઆત કરતો પત્ર લખ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.