તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેર ના શિવાજીસર્કલ ખાતે આવેલ શાકમાર્કેટ માં છેલ્લી ઘડીએ લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા જ્યાં લોકો ના ટોળે ટોળા ખરીદી કરવા ઉમટી પડ્યા હતા ત્યારે સોશીયલ ડિસ્ટન્સ નો ભંગ થતો જોવા મળી રહ્યો હતો.
સમગ્ર ગુજરાતના 20 શહેરોમાં એકી સાથે સામુહિક રાત્રી કરફ્યુ લાદવાથી આજે કોરોનાના વધી રહેલાં કેસોને ધ્યાને રાખી ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારથી રાત્રિ કરફયુની જાહેરાત કરી દેવામાં આવી છે. આ રાત્રિ કરફયુની જાહેરાત થતાંની સાથે આજે સાંજે પ્રથમ દિવસ જ લોકો ની ભારે ભીડ જોવા મળી રહી હતી, જો લોકો કોરોનાની ગાઈડ લાઈન પાલન કરવું ખૂબ જ જરૂરી છે,
ભાવનગર શહેરમાં બજારોમાં છેલ્લી ઘડી એ લોકો ઉમટી પડ્યા હતા, શહેરની મુખ્ય શાકમાર્કેટ, શિવાજી સર્કલ પાસે આવેલ શાકમાર્કેટ અને ચિત્રા વિસ્તારમાં આવેલ શાર્કમાર્કેટ માં શાકભાજી ની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા, રાતના 8 વાગ્યાથી કરફયુની અમલવારી માટે પોલીસતંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.