તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલમાં કોરોના મહામારીનો પ્રકોપ ઓછો થયેલો જણાયા છે. આ અંગે સરકાર તરફથી માર્ગદર્શિકને હળવી બનાવીને ઘણી છુટાછટો અપાઇ છે તેને ધ્યાનમાં રાખી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સંચાલીત તીર્થોમાં સરકારની લાઇડ લાઇન મુજબ પુજા શરૂ કરવામાં આવશે.
ભાવનગર નજીક આવેલ જૈનોનુ પરમ પાવન શંત્રુજય ગિરિરાજ તથા ગિરનારજી તેમજ પેઢી સંચાલીત અન્ય તીર્થોમાં તા.22-3-2020થી બંધ કરવા આવેલ હતી. જે સાડા દશ માસ બાદ પાલીતાણા શેત્રુજય ગિરિરાજ અને ગિરનાથજી મહાતીર્થ મુળનાયક નેમિનાથ દાદાને તા.12-2 શુક્રવારથી શ્રધ્ધાળુઓ પુજા કરી શકશે.શાશ્વત શંત્રુજય મહાતીર્થ ખાતે શંત્રુજય મંડન આદિશ્વર દાદાની પુજા મહા શુદ 1 તા.12-2 શુક્રવારના રોજથી શરૂ કરવામાં આવશે. બોલીનો આદેશ લેનાર લાભાર્થી નવ અંગે પુજા કરી શકશે ત્યાર બાદ અન્ય યાત્રિકો માત્ર જમણા અંગુઠે કેશર પુજા કરી શકશે. આંગી ધારણ કરાવવાનો સમય બપોરે 3 કલાકનો રહેશે.
ગિરનારજી મહાતીર્થ ખાતે મુળનાયક નેમિનાથ દાદાને પણ મહાકુદ 1 તા.12-2 શુક્રવારથી યાત્રિકો નેમિનાથ દાદાને માત્ર જમણા અંગુઠે કેસર પુજાનો પ્રારંભ થશે. શાશ્વત તીર્થ પાલીતાણા શંત્રુજય ગિરિરાજ ખાતે પોષ વદ 13 (મેરૂ તેરસ પર્વ) તા.9-2 મંગળવારથી યાત્રીકો માટે સ્નાનગૃહનો આંરભ કરવામાં આવશે. સ્નાન માટે હનુમાનધારા (મોટી ટુંક તથા નવ ટુંક તરફ જવાના રસ્તા) ઉપર યાત્રિકોને પાસ આપવામાં આવશે. તે મુજબ સૂચિત સ્નાન ગૃહ તરફ જવાનુ રહેશે.
મહાશુદ 11 તા.23-2-21 મંગળવારથી યાત્રિકો માટે ભાતાખાતુ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.તો સર્વે યાત્રાળુઓએ ભાતા ખાતાનો લાભ લેવા પેઢી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી હસ્તકના તીર્થોમાં તા.12-2 શુક્રવારથી યાત્રીકો માટે મુળનાયક ભગવાનને માત્ર જમણા અંગુઠે કેશર પુજાનો પ્રારંભ કરવામાં આવશે. મક્ષીજી તીર્થમાં મુળનાયક ભગવાનને લેપકાર્ય ચાલુ હોવાથી પુજા માંગલિક રહેશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.