બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ઘામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિતે જુવાર, બાજરો, મોરૈયો અને રાજગરાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામ-શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને આજે શનિવાર નિમિત્તે સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી જુવાર, બાજરો, મોરૈયો અને રાજગરાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
હનુમાજી દાદાને જુવાર, બાજરો, મોરૈયો અને રાજગરાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હજારો હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.