તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકભારતી સણોસરામાં વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી કાર્યશાળા સમાપન પ્રસંગે લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ લોક વિજ્ઞાન કેન્દ્રો સંદર્ભે ઉદબોધન કરતા જણાવ્યું કે ગાંધીજી કહેતા વિજ્ઞાનનો સમજપૂર્વક કરવો, આપણે તેના દાસ થવાનું નહીં. વિજ્ઞાનનો ખપ પૂરતો ઉપયોગ કરવો જોઈએ.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી - ગુજકોસ્ટ, ગાંધીભારતી અને લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર સણોસરાના સંયુક્ત ઉપક્રમે 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યકક્ષાની વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી કાર્યશાળા રાજ્યભરના લોકવિજ્ઞાનકેન્દ્રોનાં સંચાલકો સહાયકો સાથે સંવાદ યોજાયો હતો.
આ કાર્યશાળાના પ્રસંગે અરુણભાઈ દવેએ લોક વિજ્ઞાન કેન્દ્રો સંદર્ભે ઉદબોધન કરતા જણાવ્યું કે ગાંધીજી કહેતા વિજ્ઞાનનો સમજપૂર્વક કરવો, આપણે તેના દાસ થવાનું નહીં. વિજ્ઞાનનો ખપ પૂરતો ઉપયોગ કરવો જોઈએ. લોકભારતી સણોસરામાં આ કાર્યશાળાના આયોજનમાં મુખ્ય સંયોજક વિશાલ ભાદાણી દ્વારા તમામ બેઠકોમાં કેન્દ્રોનો હેતુ તેમજ ગાંધી જીવન સાથેના વિજ્ઞાનનો મહિમા રજુ થતો રહ્યો. સમાપન દિવસે ધરમપુર ખાતે મિટ્ટિધન અભિયાન ચલાવતા હિરેનભાઈ પંચાલે ખેતી બાગાયત માટેના હળવા ઓઝારો અને સાધનો વિષે નિદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.