તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગરમાં ઉતરાયણ પર્વ ઉડતા પતંગના લીધે પક્ષીઓ ઘવાય છે, માટે ઉત્તરાયણના પર્વ પર 10 દિવસ માટે સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કરુણા અભિયાન અંતર્ગત ભાવનગરમાં 4 જગ્યાએ પક્ષીઓની સારવાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના નવાપરા, વિકોટોરિયા પાર્ક, સીદસર રોડ પર અને ગંગાજળીયા તળાવ આ તમામ જગ્યાએ આવતા પક્ષીઓને લાવવા માટે એનિમલ એમ્બ્યુલન્સ 1962ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સવારથી 30થી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે.
તંત્ર દ્વારા ઉત્તરાયણમાં વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ પોતાના ઘરે જતા અને પાછા ફરતા હોવાથી પતંગ ન ચડાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં ડો.આર.જી.માળી, ડો.સુદાની, ડો.મેહતા, અને વનરક્ષક માં એન.ટી.ગોહિલ, જલ્પેશ ચૌહાણ, હર્ષદ રાવલીયા, રાજુભાઈ ચૌહાણ, નિર્થન ભલગામીયા, દેવદત્ત પાઠક, વિજેન્દ્રસિંહ રાઠોડ, સની અંધારિયા સહિતના ટીમના સભ્યોએ સવારથી 30થી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરી ચુક્યા છે. વનવિભાગ અને વેટરનીટી ડૉકટરો, સ્વયં સેવકો એન.જી.ઓ વગેરે દ્વારા પક્ષીઓને અલગ-અલગ જગ્યાએથી કલેક્ટ કરવા માટે કલેક્શન સેન્ટરની પણ રચના કરવામાં આવી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.