તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાના આવેદન પત્ર ભરવા માટેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. આ પરીક્ષા માટે આવેદન પત્રો ભરવાની અંતિમ તા. 31 ડીસેમ્બર હતી તે હવે લંબાવીને 7 જાન્યુઆરી કરવામાં આવી છે અને પોસ્ટ ઓફિસ ખાતે ફી 8 જાન્યુઆરી તેમજ ઓનલાઇન 9 જાન્યુઆરી સુધીમાં ભરી શકાશે.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાના આવેદન પત્ર ભરવાની પ્રક્રિયા ચાલુ છે. રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.seb.exam.org પર ઓનલાઇન ભરી શકાય છે. પરીક્ષાના આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ 31 ડીસેમ્બર હતી. પરંતુ તે હવે લંબાવીને 7 જાન્યુઆરી કરવામાં આવી છે. પરીક્ષા માટે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 19 નવેમ્બરથી 9 જાન્યુઆરી સુધી રાખવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસ ખાતે પરીક્ષા માટેની ફી 8 જાન્યુઆરી સુધી ભરી શકાશે. શાળાઓ દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારી કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ 13 જાન્યુઆરી છે. જ્યારે આવેદન પત્રોની ચકાસણી કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ 20 જાન્યુઆરી રાખવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.