ભાવનગરની જાણીતી શીશુવિહાર સંસ્થા દ્વારા સનેસ ગામે આરોગ્ય શિબિરનું આયોજન કરાયું હતું. ગ્રામજનોની આરોગ્ય તપાસ સાથે જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ પણ કરાયું હતું.સંસ્થા શિશુવિહાર શિક્ષણ, કૌશલ્ય નિર્માણ સાથે સમાજ ઉત્થાનના કાર્યો સાથે પણ સંકળાયેલી છે. સમાજ અભ્યુદયની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ કાર્ય અંતર્ગત આરોગ્ય પ્રવૃત્તિઓ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં સનેસ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી.
આ આરોગ્ય શિબિરમાં 325 ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા ગામની પ્રાથમિક શાળાનાં બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દી નારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદ ત્રિવેદી, રમેશ પરમાર, રેખાબહેન ભટ્ટ, પ્રીતિબહેન ભટ્ટ, દીપાબહેન જોષીએ સેવા આપી હતી. નિરમા લિમિટેડનાં કલ્પેશ પટેલ અને ગામનાં સરપંચ મંજુબહેન ચુડાસમા તથા આચાર્ય જયેશભાઈની ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સંકલન હિનાબહેન ભટ્ટ, તથા રાજુ મકવાણાએ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.