આજથી શ્રાવણ માસનો આરંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં અષાઢ માસમાં વરસાદની કૃપા તો વરસી પણ સતત ધીમા વરસાદને લીધે ગોહિલવાડ પંથકમાં આજ દિવસ સુધીમાં ચોમાસમાં કુલ વરસાદ 283 મી.મી. થયો છે. જે સિઝનના કુલ વરસાદના 46.31 ટકા થાય છે.
જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણના આરંભે કુલ સરેરાશ વરસાદ 444 મી.મી. થયો છે જે ચોમાસાના કુલ એવરેજ વરસાદ 717 મી.મી.ના 61.94 ટકા થાય છે. ગીર સોમનાથમાં તો આજ સુધીમાં કુલ 804 મી.મી. એટલે કે 32 ઇંચથી વધુ વરસાદ અષાઢના અંત સુધીમાં વરસી ગયો છે. હજી શ્રાવણ અને ભાદરવો તેમજ આસોમાં પણ વરસાદ વરસવાનો બાકી છે.
જિલ્લા મુજબ વરસાદ | |||
જિલ્લો | કુલ વરસાદ | આજ સુધી વરસાદ | ટકાવારી |
સુરેન્દ્રનગર | 592 મી.મી. | 275 મી.મી. | 46.47 ટકા |
રાજકોટ | 707 મી.મી. | 408 મી.મી. | 57.70 ટકા |
મોરબી | 553 મી.મી. | 327 મી.મી. | 59.14 ટકા |
જામનગર | 700 મી.મી. | 435 મી.મી. | 62.09 ટકા |
દ્વારકા | 729 મી.મી. | 593 મી.મી. | 81.34 ટકા |
પોરબંદર | 764 મી.મી. | 645 મી.મી. | 84.52 ટકા |
જૂનાગઢ | 953 મી.મી. | 693 મી.મી. | 72.65 ટકા |
ગીરસોમનાથ | 973 મી.મી. | 804 મી.મી. | 82.60 ટકા |
અમરેલી | 673 મી.મી. | 371 મી.મી. | 55.13 ટકા |
ભાવનગર | 611 મી.મી. | 283 મી.મી. | 46.31 ટકા |
બોટાદ | 609 મી.મી. | 264 મી.મી. | 43.39 ટકા |
સૌરાષ્ટ્ર | 717 મી.મી. | 444મી.મી. | 61.94 ટકા |
સૌરાષ્ટ્રના બે તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં વરસ્યો છે. જ્યાં સિઝનનો કુલ વરસાદ 893 મી.મી. પડતો હોય છે તેની સામે આજ સુધીમાં 1190 મી.મી. એટલે કે 133.29% વરસાદ વરસી ગયો છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં ચોમાસમાં વરસાદની કુલ એવરેજ 531 મી.મી. છે તેની સામે આજ સુધીમાં 558 મી.મી. એટલે કે 105.16% વરસાદ વરસી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.