ગઈકાલે શનિવારના રોજ મહુવા શહેરના જાહેર માર્ગો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ધોળીયા તેમજ કાર્યકરો સાથે એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શોમાં આમ આદમી પાર્ટીના તાલુકાના તમામ કાર્યકરો જોડાયા હતાં. તો, હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. સમગ્ર ગુજરાતમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે. જેને લઇને આમ આદમી પાર્ટી પણ પોતાની તાકાત મતદારો ઉપર અજમાવતી માલૂમ પડે છે.
કાર્યકરોને ચૂંટણીને લઈ રણનીતિ સમજાવવામાં આવી
રોડ-શોની અંદર પંજાબના મુખ્યમંત્રીએ ખાસ હાજરી આપી હતી અને રોડ-શોમાં પણ ભાગ લીધો હતો. ભાગવંત માને સૂત્રોચ્ચાર સાથે રોડ-શોમાં મહુવાની પ્રજાને આમ આદમી પાર્ટીને મત આપવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચૂંટણીને લઈને તમામ ઉમેદવારો તેમજ કાર્યકરોને રણનીતિ સમજાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.