તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લામાં આજરોજ 62 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,093 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 27 પુરૂષ અને 17 સ્ત્રી મળી કુલ 44 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે શહેરના કાઝીવાડ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય યુવાનનું મોત થવા પામ્યું હતું.
જ્યારે તાલુકાઓમાં વલ્લભીપુર ખાતે - 3, મહુવા ખાતે - 1, ઘોઘા ખાતે - 1, ભાવનગર ગ્રામ્ય ખાતે - 3, પાલીતાણા ખાતે - 1, તળાજા ખાતે - 2, ઉમરાળા ખાતે - 1, સિહોર ખાતે - 4 તેમજ ગારીયાધાર ખાતે - 2 કેસ મળી કુલ 18 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 27 અને તાલુકાઓમાં 11 કેસ મળી કુલ 38 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 7,093 કેસ પૈકી હાલ 451 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 72 દર્દીઓનું અવસાન થયેલ છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.