તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ અનેક ગામમાં પ્રાથમિક સુવિધાઓને લઇને પ્રજાજનોમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરસાડ ગામાં આવેલું નાળુ પાંચ ગામોને જોડે છે અને તે આઝાદી સમયે બનાવવામાં આવ્યું હતું. આજે આ નાળાની હાલત જર્જરીત છે ત્યારે ગ્રામજનોએ માગ કરી છેકે આ નાળુ ઉંચુ કરવામાં આવે. નાળુ નીચું હોવાથી ચોમાસા દરમિયાન બાળકોને પાણીમાંથી પસાર થઇને સ્કૂલે જવું પડી રહ્યું છે.
કરસાડ ગામના રહેવાસી જયેન્દ્ર ભરથાણીયાએ જણાવ્યું છેકે, વાલિયા તાલુકાના કરસાડ ગામમાં અમારે આવવા-જવા માટે આ એક નાળું છે, બિસ્માર હાલતમાં છે. આ નાળું 1947થી આ સ્થિતિમાં છે. આ અંગે ગુજરાત સરકારમાં અવાર-નવાર રજૂઆત કરી છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હોવા છતાં પણ આ નાળાના સમારકામ કે તેને ઉંચુ કરવા માટે તંત્ર દ્વારા આજદિન સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી. નાના ભુલકાઓ જ્યારે પાણીમાંથી પસાર થઇને સ્કૂલ જાય છે ત્યારે વાલીઓનો જીવ અદ્ધર થઇ જાય છે. તેથી સરકાર દ્વારા આ નાળાને ઉંચુ કરવામાં આવે તેવી અમારી માગ છે.
કરસાડ ગામના નાળાનો એટલે બધો પ્રોબ્લેમ છેકે, દર ચોમાસે અમારા છોકરાઓને સ્કૂલ જવામાં તકલીફ પડે છે. આ નાળું પાંચ ગામને જોડતું નાળું છે. તંત્રને રજૂઆત કરવામાં આવે ત્યારે તેઓ રિપેર કરી જાય છે પરંતુ તેને ઉંચુ કરવાની કામગીરી આજદિન સુધી કરવામાં આવી નથી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.