અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની સીમમાં જંગલી ભૂંડનો ત્રાસ જોવા મળ્યો હતો. જંગલી ભૂંડે ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. જેથી તેઓને ઈજાઓ પહોચી હતી.
અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામમાં રહેતા અમરભાઈ ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન નજીકમાં કામ કરી રહેલા યુવાન ઉપર જંગલી ભૂંડે હુમલો કરતા તેણે બુમરાણ મચાવી હતી. જેને પગલે અમરભાઈ અને અન્ય ખેડૂતો દોડી આવ્યા હતા અને ભૂંડ સાથે બાથ ભીડતા ભૂંડે તેઓ પર પણ હુમલો કર્યો હતો.
આ હુમલામાં ત્રણેય લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી જંગલી ભૂંડોને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરે તે અત્યંત જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.