અંકલેશ્વર નગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. લાખો રૂપિયાના ખર્ચે વસાવેલું રોડ સફાઈ મશીન બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. જેના પગલે પાલિકાની બેદરકારી છતી થઇ હતી. જેના પગલે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
અંકલેશ્વર નગર પાલિકામાં વિકાસના અનેક કાર્યો, નવી સુવિધા, નવી સાધન સામગ્રીની ખરીદી વચ્ચે સત્તાધીશો પ્રજાને સવલતો આપવાની હંમેશા વાતો કરતા રહે છે. જો કે પ્રજાની અને શહેરની સુખાકારી માટે વસાવેલા સાધનો જ વણ વપરાયેલા પડી રહેતા હોવાની હકીકત સામે આવી છે.
ભરૂચ શહેરના મુખ્ય માર્ગોની સફાઈ માટે લાખોના ખર્ચે સફાઈ મશીનની ખરીદી કરાઈ હતી. જો કે આ સફાઈ મશીન જ બે વર્ષથી સાફ સફાઈ ઝંખી રહ્યું છે. ધૂળ ખાતી હાલતમાં પડી રહેલા મશીનને લઈ પાલિકા તંત્રની બેદરકારી છતી થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.