ભરૂચ તાલુકા ત્રાલસા ગામના પરમાર ફળિયામાં GRD જવાનના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ 2.60 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ તાલુકા ત્રાલસા ગામના પરમાર ફળિયામાં રહેતા હસમુખ શંકર પરમાર નબીપુર પોલીસ મથક ખાતે GRD જવાન તરીકે સેવા આપે છે. જેઓ ગત તારીખ-15મી નવેમ્બરના રોજ રાતે પોતાના પરિવાર સાથે સુઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ GRD જવાનના મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી કુલ 2.60 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.