ભરૂચ જિલ્લાના 84 આઉટ સોસિંગ કોરોના વોરિયર્સને છૂટા કરી દેવાતા મંગળવારે કલેકટર કચેરી બાદ આજે બુધવારે સિવિલ સંકુલમાં ભીખ માંગી સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો.ભરૂચ સિવિલના કોરોના વોરિયર્સ એ બુધવારે ગાંધીગીરી કરી હતી. નોકરીમાંથી છુટા કરાતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ભીખ માગી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.સરકારની બેવડી નીતિ ઉજાગર કરવા આ કાર્યક્રમ પાઠવ્યો હતો. સાથે જ જ્યાં સુધી નોકરીપરત નહી મળે ત્યા સુધી ગાંધીગીરી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. દસ વર્ષથી નોકરી કરતા હોવા છતાં રાતો રાત છુટા કરાતા તેઓ પોતાની લડત ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.