તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાલિયા તાલુકાની વટારિયાની ગણેશ સુગરના ચેરમેન પદેથી સંદિપ માંગરોલાએ અચાનક રાજીનામુ ધરી દેતા સભાસદો સહિત વિરોધીઓ અને પક્ષના આગેવાનોમાં સોપો પડી ગયો હતો. ભોલાવ સ્થિત મળેલી પત્રકાર પરિષદમાં રાજીનામા અંગે સ્પ્ષ્ટતા કરતા સંદિપ માંગરોલાએ જણાવ્યુ હતુ કે, હવે મારા વિરોધીઓને ચુંટણી આયોજનની પ્રક્રિયાને ઠેલવવા માટે કોઇ બહાનું નહિ મળે. જુલાઇથી ગણેશ સુગરની ચુંટણી કોઇને કોઇ કારણોસર ઠેલાઇ રહી છે. દક્ષિણ ગુજરાતની મોટાભાગની સુગરોમાં ચુટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ જ્યારે ગણેશ સુગરની ચુંટણી પ્રક્રિયામાં વિરોધીઓ રોડા નાંખી રહ્યા છે. તેમને ભાજપમાં જોડાવા પણ કેટલાકે મથામણો કરી હોવાનું જણાવ્યું હતું. જોકે ચેરમેન પદેથી રાજીનામા બાદ ગણેશ સુગરની ચુંટણી પ્રક્રિયા પૂર્ણતાના આરે આવી જશે તેવી ચર્ચાઓ છે. ઉલ્લેખનિય છે કે,6 ડિસેમ્બરે ચુંટણીના આયોજન અંગે જાહેરાત થઇ હતી પણ કેટલાક સભાસદોએ સ્ટે લાવીને ચૂંટણીમાં રોક લગાવવાના પ્રયત્નો કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા. હવે ગણેશ સુગરના સભાસદો ચૂંટણીના નવા સમયની રાહ જોઇ રહ્યા છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.