તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા અત્યંત ઘટી ગઇ છે. જિલ્લામાં આજે સોમવારે પણ કોરોનાના માત્ર 2 જ નવા કેસ નોંધાયાં હતાં. જેમાં એક કેસ ભરૂચમાં જ્યારે અન્ય એક કેસ ઝઘડિયામાં નોંધાયો હતો. જેની સાથે જિલ્લાનો કુલઆંક 3641 પર પહોંચ્યો હતો. જિલ્લામાં આજે 5 લોકો સાજા થતાં અત્યાર સુધીમાં 3593 લોકોને રજા અપાઇ છે. હાલમાં હોમ આઇસોલેશનમાં 9 અને કોવિડ હોસ્પિટલમાં 7 લોકો મળી કુલ 16 લોકો સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 3155 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યાં છે. જે પૈકી 53 એક્ટિવ ઝોનમાં છે. જેમાં પણ 32 ગ્રામ્ય વિસ્તાર અને 21 શહેરી વિસ્તાર એક્ટિવ ઝોનમાં છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.