ભરૂચ જિલ્લામાં રોટરી કલબ ઓફ ભરૂચ અને રેસ્ક્યું એન્ડ રિહેબ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરીથી ઘવાતા પક્ષીઓ માટે પક્ષી બચાવો કેમ્પ ઉભા કરાયા છે. 14મી જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી સવારે 9થી 7 વાગ્યા સુધી ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવશે.
3 દિવસ સુધી કેમ્પનું આયોજન
ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઘાયલ થઇ મૃત્યુ પામતા હોય છે. જે પક્ષીઓને બચાવવા સામાજિક સંસ્થાઓ આગળ આવી રહ્યી છે. ત્યારે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા એમ.આઈ. પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે રોટરી કલબ ઓફ ભરૂચ અને રેસ્ક્યું એન્ડ રિહેબ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી આવતી કાલથી 16મી જાન્યુઆરી સુધી પક્ષી બચાવો કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. જે અંગે રોટરી યુથ સેન્ટર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ ડો.વિહંગ સુખડિયા, પ્રોજેક્ટ ચેરમેન તલકીન જમીનદાર,રેસ્કયું એન્ડ રીહેબ ફાઉન્ડેશનના આકાશભાઈ અને હિમાંશુભાઈ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેમ્પમાં સવારે 9થી 7 વાગ્યા સુધી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવશે આ પત્રકાર પરિષદમાં બંને સંસ્થાના સભ્યો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.