ભરૂચ તાલુકાના મનુબરથી કંથારીયા જવાના માર્ગ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ પરથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. તસ્કરો લોખંડ મળી રૂપિયા 96 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું એલ એન્ડ ટી કંપની કામગીરી કરી રહી છે. ભરૂચ તાલુકાના મનુબરથી કંથારીયા જવાના માર્ગ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ આવેલી છે. જે સાઈડ ઉપર ગત તારીખ-31મી મેથી 1લી જૂન સુધીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અંદર રહેલા દયા બોલ્ટ, એલ્યુમિનિયમ પેનલ સહીતનો સામાન મળી કુલ 96 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે કંપનીના એડમીન ડિપાર્ટમેન્ટના એજ્યુકેટર રાજકુમાર ચંદ્રભાન યાદવે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.