બીટીપીને ઝટકો:ઝઘડિયા તાલુકાના બીટીપી સમર્થિત છ ગામના સરપંચો સહિત 150થી વધુ ક‍ાર્યકરો ભાજપામાં જોડાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજરોજ ઝઘડિયા મુકામે સાંસદ મનસુખભાઇ વસાવા, મારુતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, પ્રકાશ દેસાઇ,રિતેશભાઇ વસાવા ધર્મેન્દ્રસિંહ પરમાર,સેવન્તુ વસાવા અને વિજયસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં ઝઘડિયાના સરપંચ અને બીટીપી જીલ્લા પ્રમુખ સુરેશ વસાવા સહિત છ ગામોના સરપંચો ભાજપામાં જોડાયા હતા. ઉપરાંત બીજા ૧૫૦ જેટલા કાર્યકરો પણ તેમની સાથે ભાજપામાં જોડાયા હતા. ભાજપા અગ્રણીઓએ ખેશ પહેરાવીને આ બધા કાર્યકરોને ભાજપામાં પ્રવેશ આપ્યો હતો. બીટીપીના ક‍ાર્યકરો અને સરપંચો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ભાજપા કાર્યકરો દ્વારા આ તમામ નવા આવનાર કાર્યકરોને આવકાર આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...