તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર તાલુકાનાં બોરભાઠા બેટ તથા દીવી સહિતના ગામોમાં કેરીની ખેતી કરતાં ખેડૂતો ચાલુ વર્ષે કેરીનાં પાકને લઈને ચિંતામાં મુકાયા છે. અંકલેશ્વર તાલુકામાં કેરીનો પાક ઓછો રહેવાની ખેડૂતોને ધારણા છે. તેથી કોરોના મહામારી વચ્ચે કેરી પણ મોંઘી બને તેવી શક્યતા છે.
ફાળ ખરી પડતાં હાલ કેરીનો પાક ઓછો નીકળવાની ધારણા
અંકલેશ્વર તાલુકામાં ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો બોરભાઠા બેટ, દીવી, દીવા સહિતના ગામોની સીમમાં અનેક આંબાવાડિયા આવેલા છે. જ્યાં ખેડૂતો અન્ય પાકો સાથે આંબાની ખેતી કરે છે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શરૂઆતમાં આંબાના ઝાડ પર ફાળ સારો આવ્યો હતો. જે બાદ ધૂળને પગલે ફાળ ખરી પડતાં હાલ કેરીનો પાક ઓછો નીકળવાની ધારણા સેવાઇ રહી છે. ઉપરાંત કેરીનો પાક ઓછો રહેવાની ધારણા વચ્ચે કેરી મોંઘી રહેશે. અને કેરીની મીઠાસ કડવી રહેવાની શક્યતા વર્તાઇ રહી છે. ત્યારે ચાલુ વર્ષે બજારોમાં કેરી મોંઘા ભાવે મળે તેવી શક્યતા છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.