વાલિયા તાલુકાના જોખલા ગામની સીમમાં આવેલા ખેતરમાં વહેલી સવારે દીપડાએ શ્વાન ઉપર હુમલો કરી તેને ફાડી ખાતા ગ્રામજનોએ દોડી આવી દીપડાને ચારેય બાજુથી ઘેરો નાખ્યો હતો. જોકે, વનવિભાની ટીમ પહોંચે તે પહેલાં દીપડો ભાગી ગયો હતો.
શ્વાન ઉપર હુમલો
વાલિયા-નેત્રંગ તાલુકો જંગલ વિસ્તારમાં આવ્યો હોવાથી જંગલી પ્રાણીઓ દેખાતા દેતા હોવાની અનેક કિસ્સા પ્રકાસમાં આવ્યા છે. ત્યારે આજરોજ વહેલી સવારે વાલિયા તાલુકાના જોખલા ગામની સીમમાં આવેલ ખેતરમાં રહેતા રતિલાલ જાડિયાભાઈ વસાવાની વાડીએ ઘસી આવ્યો હતો અને બહાર રહેલ શ્વાન ઉપર હુમલો કરી તેને ખેંચી જઈ ફાડી ખાધો હતો. આ ઘટનાને પગલે રતિલાલ વસાવા જાગી જતા તેણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી હતી જેને પગલે આજુબાજુ ગામના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ચારેય બાજુથી દીપડાને ઘેરો નાખ્યો હતો અને વાલિયા વનવિભાગની કચેરી ખાતે જાણ કરી હતી.
ગ્રામજનો ભયભીત
વાલિયા વન વિભાગના બીટ ગાર્ડ સુરેજ કુરમી અને નેત્રંગ વન વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને દીપડાને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. જોકે, દીપડો તમામ લોકોની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો. વન વિભાગની ટીમોએ ખેતર પાસે અને ગામની સીમમાં મારણ સાથે બે પાંજરા ગોઠવી દીપડાને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દીપડાએ શ્વાનનું મારણ કરતા જ ગ્રામજનો ભયભીત બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.