તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચમાં સતત ત્રીજા દિવસે કોરોનાનો એકપણ કેસ નહીં નોંધાતા શહેર જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. જિલ્લામાં હાલમાં માત્ર 3 જ એક્ટિવ કેસ હોઇ વહેલીતકે ભરૂચ કોરોના મુક્ત બને તેવી આશાઓ વ્યક્ત કરાઇ રહી છે. ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા નહીવત થઇ છે. જેમાં છેલ્લા પંદર દિવસથી એક કે બે કેસ નોંધાઇ રહ્યા હતા. દરમિયાનમાં છેલ્લા ત્રણ દિવસથી સળંગ જિલ્લામાં એકપણ કેસ નહીં નોંધાતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
મંગળવારે વધુ એક દર્દીને કોરોનાને મ્હાત આપતા અત્યાર સુધીમાં 3611 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં એક અને કોવિડ હોસ્પિટલમાં બે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જિલ્લાાં હાલમાં 32 એક્ટિવ કન્ટેઇમેન્ટ ઝોન છે.જે પૈકી 17 વિસ્તાર શહેરમાં તેમજ 15 વિસ્તાર ગ્રામ્યમાં આવ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.