તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યભરમાં તબક્કા મુજબ શાળા-કોલેજો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે કવાયત હાથધરી છે. 18 ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કાર્ય શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. શનિવારે જાહેર થયેલા પરિપત્ર અનુસાર ગુરૂવારથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ શરૂ થશે. ભરૂચની 615 પ્રાથમિક શાળાઓ પૈકી ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારી ક્ષેત્રની ધો.6થી 8ની 598 પ્રાથમિક શાળાઓ અને ભરૂચ નગરપાલિકાની 17 પ્રા.શાળાઓમાં ફરી વિદ્યાર્થીઓનો ધમધમાટ થશે. જોકે કોવિડ-19ની ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવાની રહેશે. જોકે શાળામાં આવવુ દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત નથી. વાલીઓની સંમતિ અનિવાર્ય છે. ઉપરાંત શાળાએ ન જઇ શકનાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્ટડી ચાલુ જ રહેશે.
પ્રાથમિક શાળાઓમાં ભુલકાઓની પાસે ગાઇડલાઇનનું પાલન કરાવવું મોટી ચેલેન્જ
ભરૂચના કેટલાક શિક્ષણવિદોના મત અનુસાર પ્રાથમિક શાળાઓના ભૂલકાઓ પાસે આ ગાઇડલાઇનનું પાલન કરાવવુ મોટુ ચેલેન્જ હશે. ચંચળ મનોવૃત્તિના બાળકોને વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડ્યા બાદ રિસેસમાં અને વોશરૂમ દરમિયાન તેમને નિયમોનું પાલન કરાવવુ સૌથી મોટો પડકાર હશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.