તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ શહેરમાં આજે સ્વામીનારાયણ ફીડર, સરયુ ફીડર, 66 KV પાંચબત્તી સબસ્ટેશનના કેટલાક વિસ્તારોમાં વીજકાપની જાહેરાત કરાઇ હતી. જોકે ડિજીવીસી ભરૂચ સીટી વેસ્ટ દ્વારા આજે ભરૂચની 73 જેટલી સોસાયટીઓમાં વીજકાપ રહેશે તેવી જાહેરાત કરાઇ હતી. જેેના કારણે આ વિસ્તારમાં વીજકાપને કારણે પાણી મળશે નહી તેવી નગરપાલિકાએ જાહેરાત કરી હતી. પરંતુ આજે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તક છે
. વીજ કાપના નિર્ણયને જિલ્લા ચુંટણી અધિકારીએ સાંજે રદ કર્યો હતો. ચુંટણી ટાણે બે કચેરીઓ વચ્ચે સંકલનના અભાવે એક કચેરીએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામાને અન્ય કચેરીએ રદ કરવી પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભરૂચ વીજવિભાગે આજે સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી વીજ પુરવઠાને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંભવતઃ ફીડરોને સમારકામની કામગીરી આગામી દિવસોમાં શરૂ થશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.