અખિલ ભારત રાણા સમાજ તેમજ ભરૂચ રાણા સમાજ દ્વારા ખંભાતમાં રામ નવમી શોભાયાત્રા પર થયેલા હુમલાનો વિરોધ કરી ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતેથી મૌન રેલી કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં રાણા સમાજના વ્યક્તિના મોતના મામલે યોગ્ય ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.
આજે બુધવારના રોજ અખિલ ભારત રાણા સમાજ અને ભરૂચ શહેર રાણા સમાજ દ્વારા ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતેથી મૌન રેલી કાઢવામાં આવી હતી. તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 10મી એપ્રિલના રોજ રામ નવમી નિમિત્તે ખંભાતમાં રાણા સમાજ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શોભાયાત્રા પર તોફાની તત્વોએ પથ્થરમારો કરતાં દોડધામ મચી હોવાના આક્ષેપ કરાયા છે.
આ હિંસાની ઘટનામાં શકરપુરા વિસ્તારમાં કનૈયાભાઈ રતિલાલ રાણાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે ઘટનાને વખોડી કાઢી સમાજ દ્વારા મૃતક વૃદ્ધના હત્યારાઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.