રક્તદાન મહાદાન:GNFC પરિવાર, સંકલ્પ ફાઉન્ડેશન, જૈન સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

જી એન એફ સી હોસ્પિટલ , ભરૂચ ખાતે રવિવારના રોજ રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર આયોજિત કરવામાં આવી હતી. જેમાં કેમ્પમાં 100થી પણ વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી હતી.

આ કેમ્પમાં જીએનએફસી હોસ્પિટલના ડોક્ટર સુષ્માબેન, જીએનએફસીના દક્ષેશભાઈ પંચોલી -જનરલ સેક્રેટરી એસએનઆર ક્લબ , સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજયભાઈ તલાટી તથા સભ્યો ગીરીશભાઈ પટેલ, ભરતભાઈ શુક્લા, ધર્મેશભાઈ મોદી તથા જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ કવિતાબેન શાહ સવિશેષ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...