તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેના કારણે જિલ્લા આરોગ્ય વિભાગને રાહત સાંપડી છે. જિલ્લામાં બુધવારે પણ કોરોનાના માત્ર 6 કેસ નોંધાતાં જિલ્લાનો કુલઆંક 3453 પર પહોંચ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 3340 લોકો કોરોનાને હરાવી સાજા થયાં છે.
ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેના આરોગ્ય વિભાગમાં આંશિક દરે રાહત સાંપડી છે. બુધવારે પણ જિલ્લામાં માત્ર કોરોના પોઝિટિવના નવા 6 કેસ નોંધાતા પોઝિટિવનો કુલ આંક 3453 પર થયો હતો. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાને મ્હાત આપતા કુલ 3340 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.જ્યારે હાલમાં 81 લોકોને સારવાર હેઠળ છે. જિલ્લામાં બુધવારે કોઇ મોત નોંધાયું ન હતું. જ્યારે સરકારી દફ્તરે અત્યાર સુધી માત્ર 32 લોકોના કોરોનાથી મોત નિપજ્યા હોવાનું નોંધાયું છે. જિલ્લામાંથી વધુ 660 શંકાસ્પદ લોકોના સેમ્પલ લઇને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.