ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભુખી ખાડી બ્રીજ, બદલપુરા ખાડી બ્રીજ, અલાદર ખાડી બ્રીજને તોડીને નવા પુલ બનાવવામાં આવે ત્યાં સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું જારી કર્યું છે.આમોદથી આછોદ ગામે જતા આવતો ભુખી ખાડીનો પુલ, સરભાણ ત્રણ રસ્તા પાસે ઈખર સરભાણ રોડ પ૨ ભુખી ખાડીનો પુલ જજરીત છે.તેમજ વાગરા તાલુકામાં પણ ભુખી ખાડી બ્રીજ, બદલપુરા ખાડી બ્રીજ અને અલાદર ખાડી બ્રીજને તોડીને નવા પુલ બનાવવાના છે. આ પાંચેય ખાડી બ્રિજ તોડીને નવા ન બનાવાય ત્યાં સુધી 20 મેટ્રિક ટન કરતા ભારે વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. જેઓએ ખાડી બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગો નો અવરજવર માટે ઉપયોગ કરવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.