તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે શનિવારે પણ બપોરના 3 વાગ્યા સુધીમાં માત્ર 3 નવા કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 2851 થયો હતો. જેમાં અંક્લેશ્વરમાં 2 તેમજ ભરૂચમાં 1 કેસ નોંધાયો હતો. જોકે, ખાનગી હોસ્પિટલોમાં થયેલાં ટેસ્ટના આંકડા હજી સુધી તંત્ર પાસે પહોંચ્યાં ન હતાં. જિલ્લામાં આજે 5 લોકો સાજા થતાં અત્યાર સુધીમાં 2751 લોકોને રજા આપવામાં આવી છે.જ્યારે હાલમાં 23 લોકો હોમ આઇસોલેશનમાં જ્યારે 46 લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં આજે કોરોનાની સારવાર વેળાં એક દર્દીનું મોત થયું હોવાના અહેેવાલ સાંપડી રહ્યાં છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.