તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેત્રંગ ટાઉન ના શાંતિનગર વિસ્તારમાં ખુલ્લી ગટરમાંથી દુષિત પાણીના નિકાલના અભાવે વસવાટ કરતાં લોકોમાં વાહકજન્ય રોગો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. ગટર લાઇન ખૂલ્લી હોવાના ગટરનું પાણી રસ્તા ઉપર ફરી વળતા ગંદકી ફેલાય છે. રોડ સાઈડ જ ખુલ્લી ગટર હોવાથી રોડ ઉપર પાણી ના કારણે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યાં છે. થોડાં દિવસ પહેલા ગટરમાં બાઇક ચાલક પડકાતા સામન્ય ઇજાઓ પોહચી હતી.
આ વિસ્તારના લોકોએ પંચાયત કચેરીમાં ગટરના દુષિત પાણીના નિકાલ માટે વારંવાર લેખિત અને મોખીક રજુવાત કરી પણ કોઈ સમાધાન આવ્યુ નોહતુ. રહીશોએ સ્વ ખર્ચે જેસીબી મશીન લાવી ગટર સાફ કરાવી દુષિત પાણીનો નિકાલ કરાવ્યો હતો. સ્થાનિક આગેવાન મોહસીન પઠાને જણાવ્યુ હતુ કે, શાંતિનગર વિસ્તારના રહીશોએ ગ્રા.પંચાયત માં વારંવાર લેખિત-મૌખિક રજુઆત કરી છે. ગટરની કામગીરી કરવામા નહી આવે તો શાંતિનગર વિસ્તારના લોકો નેત્રંગ ગ્રા.પં. કચેરીના ધેરાવ કરીશું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.