તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં મોટા પાયે શેરડીનું વાવેતર થતું હોય શિકારી પ્રાણીઓને રહેવા તથા ખોરાકની સવલત મળી રહેતી હોય છે. તેથી આવા શિકારી પશુઓની વસ્તી વધી રહી છે. ખેડૂતો તેમજ ખેત મજૂરોને અવાર-નવાર દેખા દેતા તથા પશુઓના મારણ કરતા દીપડાઓથી કાંઠા વિસ્તારમા દીપડાનો ભય રહે છે.
રવિવારે વહેલી સવારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની કાછી વગાની સીમમાં એક દીપડો મૃત હાલતમાં જોવા મળ્યો હતો.ગામનાં નાગરિક દ્વારા વનવિભાગને આ બાબતે જાણ કરી હતી. ઝઘડિયા વન વિભાગના મહેશભાઈ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાને ઝઘડિયા વન કચેરી ખાતે લાવી તેના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી અને કયા કારણોસર દીપડાનું મૃત્યુ થયું છે તેની તપાસ હાથ ધરી છે. ઝઘડીયા વન વિભાગના ફોરેસ્ટર વિજય તડવી દ્વારા જણાવ્યું હતું કે મૃત દીપડો નર છે અને પાંચ ફૂટ જેટલી લંબાઈ છે અને ઉમર અઢી વર્ષ છે. પીએમ બાદ તેના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.