ઝઘડિયા ગ્રીનવેલી સોસાયટી ખાતે અંબેશ્વર મહાદેવ, માતાજી ના ત્રિ-દિવસીય મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ગત રોજ ઝઘડીયા ગુમાનદેવ મંદિર ખાતે કર્મકાડી વાસુદેવ શાસ્ત્રી વૈદક મંત્રોચ્ચારથી રીટાયર્ડ મામલતદાર જશવંત રાજવંશી પરીવાર ઘ્વારા કુટીર હવન કરવામાં આવ્યો હતો.
ગુમાનદેવ મંદિર ખાતે થી ભવ્ય શોભાયાત્રા નીકળી ઝઘડીયા ગામ માં ફરી ગ્રીનવેલી સોસાયટી ખાતે પહોંચી હતી ત્યાર બાદ જલાઘિવાસ,પુંજા પારંભ કરવામાં આવી હતી. આજ રોજ ગ્રીનવેલી સોસાયટી ખાતે સવાર થી પુજા પારંભ,સ્નાપન વિઘી,હવન કાર્ય, ઘાન્યઘીવાસ, સાયંપુજા યોજાશે બીજા દિવસે તા 12/05/22 ના રોજ સવાર થી પુજા પારંભ,ઘ્વજા રોહણ, કલશ સ્થાપના, પ્રાણ પ્રતિષ્ઠા, ઈત્યાદિ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.