તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વૈશ્વિક મહામારી એવા કોરોના સંક્રમણને અટકાવવા તથા સલામતીના ભાગરૂપે શોધાયેલ કોવિડ 19 ની રસી ને હાલ બીજા તબક્કા માં મુકવામાં આવી રહી છે. જેમાં સૌપ્રથમ આરોગ્ય કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ તથા બીજા તબક્કામાં વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા શિક્ષકોને આ રસી કરણ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવેલ છે.
જે અંતર્ગત અંકલેશ્વર શહેર સ્થિત અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આયોજિત ગોયા બજાર શાળા શાળા નંબર 1 અંકલેશ્વર ખાતે પણ વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શિક્ષક અગ્રણી તથા સામાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણી ગજેન્દ્ર પટેલ કોવિડ 19 ની રસી કરણ કરાવ્યું હતું. રસીકરણ બાદ ગજેન્દ્ર પટેલે વાતચીત માં જણાવ્યું હતું કે આ રસીની કોઈ આડઅસરન થઈ હોવાનું જણાવી સહકર્મચારી મિત્રો તથા આવનાર સમયમાં તમામ નાગરિકોને આ રસી મુકાવવા જાહેર અપીલ કરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.