અંકલેશ્વર ONGC ઓઇલ ફિલ્ડ માં આવેલ રોહિત ગામ ને પીવાનું પાણી ઓએનજીસી દ્વારા વર્ષો થી પૂરું પાડવામાં આવી રહ્યું છે. છેલ્લા 20 દિવસથી રોહિત ગામ ને પાણી આપવાનું ઓએનજીસી દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઇ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉદભવી છે.
આ અંગે વારંવાર પંચાયત એ ઓએનજીસીમાં રજુઆત કરવા છતાં ગ્રામપંચાયત રોહિત દ્વારા લેખિત આવેદનપત્ર ઓએનજીસી ને પાઠવ્યું છે. મોટવાણ ગામ ખાતે જી.જી.એસ. મોટવાણથી પાઇપ લાઇન વડે પાણીનો પુરવઠો મોકલવામાં આવતો હતો જે બંધ છે. જો કે પાણી સત્વરે ચાલુ નહિ કરવામાં આવે તો ગામની મહિલાઓ તેમજ ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હોવાનું પંચાયત ના મનીષભાઈ પટેલ એ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.