વીજ પોલ ભડકે બળ્યો:અંકલેશ્વરના ચૌટા બજારમાં કડાકા ભડાકા સાથે થાંભલામાં આગ લાગી; લોકોમાં ભયનો માહોલ છવાયો

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર શહેરના હાર્દસમાં ચૌટા બજારમાં નાગરિક બેન્ક પાસે એકાએક વીજ પોલમાં ભડાકો થયો હતો. જો કે આ સમયે રાત્રિના બજાર બંધ હોવાથી મોટી હોનારત ટળી હતી. વીજળીના થાંભલામાં કડાકા થવા લાગ્યા હતા અને તે સળગવા લાગ્યો હતો. બનાવની જાણ વીજ નિગમને કરાતા પુરવઠો બંધ કરી આગ બુઝાવામાં આવી હતી. આગના પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આગના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો
અંકલેશ્વરના ચૌટા બજારમાં બુધવારે મોડી સાંજે આગની ઘટના સામે આવી હતી. થાંભલા પર તણખાં થવાની સાથે જ કડાકા-ભડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ઘટના અંગે વીજ નિગમ તેમજ પાલિકા ફાયરને જાણ કરવામાં આવી હતી. વીજ નિગમ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પાલિકાની ફાયરની ટીમે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. દિવસ દરમિયાન ભરચક લોકોની અવરજવર રહેતી હોય છે. જોકે આગ વધુ ફેલાય એ પહેલા જ કાબૂમાં આવી જતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...