આગામી 19 મી જુલાઈ ના રોજ મહોરમ પર્વની ઉજવણી થવાની છે ત્યારે અંકલેશ્વર શહેર તાલુકાના તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી રમેશ ભગોરા ને આવેદનપત્ર પાઠવી ઇસ્લામ ધર્મના મહાન પયગંબર ના દોહિત્ર ની યાદ માં મુસ્લિમ બિરાદરો વર્ષોની પ્રણાલિકા મુજબ આ વર્ષે પણ મોહર્રમના તહેવારની ઉજવણી કરવા માંગ કરાઇ છે.તાજીયા કમિટીના પ્રમુખ બખ્તિયાર ખાન પટેલ દ્વારા જણાવ્યું હતું કે રાજકીય પ્રોગ્રામ ને જો સરકાર તરફથી પરવાનગી મળતી હોય તો ધાર્મિક પ્રસંગ ને પણ સરકારે પરવાનગી આપવી જોઈએ, સરકાર પરવાનગી આપશે તો મોહરમ નો તહેવાર સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઉજવીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.