અંકલેશ્વર ખાતે અનુપમ સત્સંગ મંડળ દ્વારા શેઠના સેલિબ્રેશન હોલ ખાતે જીવન ના કલ્યાણ હેતુ સત્સંગ સભા યોજવામાં આવી હતી. જીવન ના કલ્યાણ હેતુ પરમ પૂજ્ય અશ્વિન દાદા અને સંતો ના દિવ્ય સાનિધ્ય આયોજન કરાયું હતું. દાદા દ્વારા જીવન કલ્યાણ નો મર્મ સમજાવ્યો હતો. અંકલેશ્વર અનુપમ સત્સંગ મંડળ દ્વારા જીવન ના કલ્યાણ હેતુ પરમ પૂજ્ય અશ્વિન દાદા અને સંતો ના દિવ્ય સાનિધ્ય માં અંકલેશ્વર જીઇબી ઓફિસ ની બાજુમાં આવેલ શેઠના સેલિબ્રેશન હોલ ખાતે દિવ્ય સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનુપમ સત્સંગ મંડળ ના અનુયાયીઓ દ્વારા સંતો નું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી દિવ્ય સત્સંગ નો લ્હાવો લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.