અંક્લેશ્વમાંની 15 થી વધુ સ્કૂલોના 800થી વધારે ગુરૂજનોનું જેસીઆઇ અંક્લેશ્વર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. બસ આવા જ વિચારોથી જેસીઆઈ અંકલેશ્વર એ 800થી વધારે શિક્ષક ગણોનો સન્માનનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેમાં અલગ-અલગ અંકલેશ્વરની લગભગ 15 જેટલી સ્કૂલો ના શિક્ષકોનું સન્માન કર્યું.
આ વર્ષે જેસીઆઈ અંકલેશ્વર તરફથી શિક્ષકોને ધન્યવાદ કહેવાના ભાગરૂપે શિક્ષકોનું સન્માન સમારંભ કરવામાં આવ્યું હતુ. જેસીઆઈ દ્વારા ઘણી બધી કોમ્પિટિશન, પ્રોગ્રામ નું આયોજન થતું હોય છે જેમાં ખૂબ ઉત્સાહથી દરેક સ્કૂલ શિક્ષક ગણ તથા પ્રિન્સિપાલ ભાગ લેતા હોય છે બાળકોને તો એમના કાર્યક્રમ માં પ્રોત્સાહન મળે છે પણ જે શિક્ષકો એમની પાછળ મહેનત કરે છે તથા પ્રોગ્રામ માટે પ્રોત્સાહિત કરે છે એવા શિક્ષકોને તથા પ્રિન્સીપાલને આ વર્ષે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.
સન્માન સમારંભમાં શિક્ષકોએ જેસીઆઇ અંકલેશ્વર પરિવારનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે શિક્ષકો આ સન્માનને પામીને ખૂબ જ ખુશ થયા છે. આ કાર્યને સફળ કરવા માં પ્રેસિડેન્ટ જેસી કિંજલ શાહ, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી નેહા મોદી, જેસી શીતલ જાની, જેસી મોના પટેલ, જેસી શ્યામા શાહ, જેસી ચંચલ શાહ, જેસી ચેતના નાકરાણી, દિપ્તી જોસી ખૂબ મહેનત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.