તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર અન્સાર માર્કેટ ખાતે ઉછીના રૂપિયા આપનાર ઈસમે માર મારી હુમલો કર્યો હતો. 1.86 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જે પરત માંગતા ગોડાઉન પર બોલાવી ચપ્પુ વડે ગળામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. ચપ્પુ વડે હુમલો કરતા પોલીસે હત્યાનો કોશિષનો ગુનો નોંધી હુમલો કરનાર બને ઈસમો ની ધરપકડ ના ચક્રોગતિમાન કર્યા હતા. બનાવ ની વિગતો અનુસાર થાણા નાગોર મધ્યપ્રદેશ ખાતે રહેતા ઉમાશંકર બારગી અંકલેશ્વર અન્સાર માર્કેટ ખાતે રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા ક્રિષ્ણકાંત કુશ્વાહા 1.86 લાખ રૂપિયા તેની બહેન ના લગ્ન માટે ઉછીના આપ્યા હતા જે પૈસા માંગતા તેને અંકલેશ્વર અન્સાર માર્કેટ ખાતે ચિરાગભાઈ નામના ઈસમ ની ગોડાઉન ના રૂમ પર બોલાવ્યો હતો અને તેવો ત્યાં આવતા રૂપિયા માંગવા ક્રિષ્ણકાંત કુશ્વાહા અને અમિત દહાયતએ તમેને હત્યા કરવા ના ઇરાદે જીવલેણ હુમલો કરી હાથ માં રહેલ ચપ્પુ તેમના ગળા ના ભાગે તેમજ હાથ પર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી જેને ગંભીર હાલત માં સારવાર અર્થે સ્થાનિક રહીશો ખસેડ્યો હતો જ્યાં બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બને હુમલાખોર ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અને બંને ઈસમો ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.