થરાદની ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ એ રાષ્ટ્રપતિના અપમાન લઈ વિરોધ પ્રદર્શન કર્યું.
આદિવાસી દીકરીનું અપમાન નહીં ચાલે
થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશનાં 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અને સાંસદ દ્વારા રાષ્ટ્રપત્ની તરીકે સંબોધિત કરતા ભાજપ મહિલા મોરચા ના કોષા અધ્યક્ષ પુષ્પાબેન ઠાકોર સહિત તમામ મહિલા મોરચો અને આગેવાનો એ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને આદિવાસી દીકરીનું અપમાન નહિ ચાલે સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ નેતા અને સાંસદનો વિરોધ કર્યો હતો. અને દેશના રાષ્ટ્રપતિની તેઓ માફી માંગે તેવી માગ કરાઈ હતી.
માફી ન માંગે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે
જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે. આ અપમાન દેશ, રાષ્ટ્રપતિ જ નહીં પણ સમગ્ર આદિવાસી જનતાનું પણ છે. દેશના બંધારણ વડા તરીકે સર્વોચ્ચ સ્થાને રહેલા રાષ્ટ્રપતિ સાથે આ નારી શક્તિનું પણ અપમાન છે થરાદ ભાજપે સુત્રોચ્ચારો સાથે કોંગ્રેસ નેતા સામે ભારે રોષ વ્યકત કરી તેઓ પોતાના આવા સંબોધન બદલ દેશ, રાષ્ટ્રપતિની માફી માંગે તેઓ સૂર વ્યક્ત કર્યો છે.જો માફી નહિ માંગે તો અમારો વિરોધ યથાવત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.