પાલનપુરના ગોળા ગામે આવેલ સરકારી જમીનમાં કંપનીને પંચાયતની જાણ બહાર આપી દેવામાં આવતા ગ્રામ પંચાયતના સરપંચ સહીત ગ્રામજનોએ વાંધો દર્શાવી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
પાલનપુર તાલુકાના ગોળા ગ્રામ પંચાયતના સર્વે નં.643 માં સરકારી પડતર જમીન આવેલ છે તે જમીનમાં એક જાતિના લોકોનું ટ્રસ્ટ બનાવી ઓર્ગેનિક ખેતી માટે કંપનીએ જમીનની માગણીમાં સરપંચ કે ગ્રામ પંચાયતની બોડીને આ બાબતે જાણ કર્યા વગર બારોબાર જમીનોનાં કાગળો બનાવી આપી દેવામાં આવતા સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સોમવારે કલેક્ટરને રજૂઆત કરી સરપંચે વાંધો દર્શાવ્યો છે.
આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ મુળજીભાઈ ધુળાભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, ગામની વસ્તી તથા પશુઓનાં પ્રમાણમાં ગૌચર કે ગામતળ ન હોઈ અને મકાનોથી વંચિત ગરીબ લોકોને પ્લોટ આપવા માટે જમીન નથી તેવા સમયમાં આવી જમીન ગામતળમાં લઈ પ્લોટથી વંચિત લોકોને પ્લોટ મંજુર કરી આપવા આ જમીન ફાળવી આપવા માટે માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.