કોણ કોને આપશે ટક્કર?:બનાસકાંઠાની 9 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, થરાદ બેઠક પર શંકર ચૌધરી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે સીધી ટક્કર

બનાસકાંઠા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની 9 બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે.

થરાદ બેઠક પર સૌની નજર
બનાસકાંઠા જિલ્લામાં આ વખતે નવમાંથી બે બેઠક પર સૌની નજર રહેશે. વાવ વિધાનસભા 2017માં ભાજપમાં શંકરભાઈ ચૌધરી અને કોંગ્રેસમાં ગેનીબેન વચ્ચે રસાકસી ભર્યો જંગ જમ્યો હતો. જેમાં ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. જોકે, 2022 વિધાનસભામાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીઓ જંગ જામશે. જ્યારે થરાદ બેઠક પર સમગ્ર ગુજરાતની નજર છે કારણ કે, પૂર્વ મંત્રી અને એશિયાની સૌથી મોટી બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને ભાજપે ટિકિટ આપી છે. જેમાં ત્રિપાંખીયા જંગમાં કોંગ્રેસના ચાલુ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને આપ ઉમેદવાર વીરચંદજી ઠાકોર છે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાનો રાજકીય ઇતિહાસ...