બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-મહેસાણા સિક્સલેન હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. હાઈવે પર ડાઈવર્ઝનની જગ્યા પર કોઈ સાઈનબોર્ડ ન લગાવાતા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો.
અંબાજી જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો
બનાસકાંઠાના પાલનપુર-મહેસાણા સિક્સલેન પર ડાઈવર્ઝન પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર કાનાવડથી અંબાજી માનતા પૂર્ણ કરવા જઈ રહ્યો હતો.
અકસ્માતમાં મૃતકોના નામ
હર્ષદભાઈ ડોશિયાર
હિતેન્દ્રસિંહ સિસોદિયા
પંકજભાઈ ડોશિયાર
અકસ્માતમાં ઘાયલોના નામ
અનિલભાઈ ડોશિયાર
કમલેશભાઈ ડોશિયાર
રોડ કામ કરતા કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મહેસાણા સિક્સ લેન હાઈવે ઉપર રોડ કામ કરતા કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં છાપીના તેનીવાડા પાટીયા પાસે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ ડાઈવર્ઝનની જગ્યા ઉપર કોઈપણ જાતનું સાઈન બોર્ડ, બેરીકેટીંગ,રેડિયમ રિફ્લેક્ટ, રેડિયમ એરો વાહનચાલકોને સૂચિત કરે તેવું કોઈપણ જાતનું બોર્ડના લગાવો હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી પહોંચી મુર્તુકોને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.