દિયોદના મકડાલા ગ્રામજનો દ્વારા શનિવારે ગામમાં નવી પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે હવે પછી ગામમાં કોઈના ઘરે નાનો કે મોટો શુભ પ્રસંગે હશે તો ગામની ગૌશાળામાં પણ યથાશક્તિ મુજબ દાન કરશે.
મકડાલા ગામે ગત રવિવારના દિવસે માવજીભાઈ ચમનાજી ચૌધરી (કાંદળી) ના ઘરે હનુમાન દાદાની તિથિ નિમિતે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે માવજીભાઈ ચૌધરી દ્વારા મકડાલા ગામ માં આવેલ ગૌશાળામાં 5100 નું અનુદાન કરવામાં આવ્યું હતું.હવે પછી ગામમાં કોઈ પણ વ્યક્તિના ઘરે શુભ પ્રસંગે હોય તો જે વ્યક્તિએ યથાશક્તિ મુજબ બજરંગ ગૌશાળામાં અનુદાન કરવું એવું નક્કી કરાયું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.